40.2 C
Gujarat
Friday, May 15, 2026
spot_img

દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના કુંડલા ગામે પોલીસ અધિક્ષ રવિરાજસિંહ જાડેજા દ્વારા ચૂંટણી અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ.

દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના કુંડલા ગામે જિલ્લા પોલીસ વડા (એસપી) Ravirajsinh Jadeja દ્વારા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તેમણે તમામ ઉમેદવારો સાથે સીધી ચર્ચા કરી અને ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
એસપી સાહેબે પોતાના સંબોધનમાં સ્પષ્ટ જણાવ્યું કે ચૂંટણીઓ તો સમયાંતરે આવતી અને જતી રહે છે, પરંતુ કોઈપણ પ્રકારનો વિવાદ કે તણાવ સર્જાય અને તેમાં કોઈ વ્યક્તિ અથવા પરિવારમાં નુકસાન થાય, તો તેની જવાબદારી સમાજ પર આવે છે. તેથી દરેક ઉમેદવાર અને તેમના સમર્થકોને સંયમ અને સમજદારી રાખવી જરૂરી છે.
તેમણે ઉદાહરણ રૂપે દાહોદ જિલ્લાના રેટિયા ગામના સરપંચનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ચૂંટણી બાદ હારેલા ઉમેદવાર અને જીતેલા સરપંચ બંનેએ મતભેદોને બાજુએ રાખીને ગામના વિકાસ માટે મળીને કાર્ય શરૂ કર્યું છે. આ ઉદાહરણ દ્વારા તેમણે સંદેશ આપ્યો કે ચૂંટણી પછી સહકાર અને એકતા જ ગામના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે.
અંતમાં એસપી સાહેબે તમામ ઉમેદવારોને અપીલ કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને તહેવારની જેમ શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી ઉજવવી જોઈએ, જેથી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાં સકારાત્મક સંદેશ જાય.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો